પદ્મશ્રી સામાજિક કાર્યકર સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ: રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિને નોમિનેટ કર્યા, PM મોદીએ ટ્વિટ કર્યું
- 08 Mar, 2024
ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવી હતી.
આ વિશે ટ્વિટ કરતાં પીએમ મોદીએ કહ્યું કે મને ખુશી છે કે 'રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં તેમનું યોગદાન અનુપમ અને પ્રેરણાદાયી રહ્યું છે. સુધા મૂર્તિની રાજ્યસભામાં હાજરી એ મહિલા શક્તિ માટે સન્માન હશે. ભારતના ભવિષ્યને ઘડવામાં મહિલાઓએ કેવી રીતે યોગદાન આપ્યું છે તેનું આ ઉદાહરણ હશે.'
73 વર્ષીય સુધા મૂર્તિ એન્જિનિયર છે અને લેખક પણ છે. સાથે જ તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. તેમનો જન્મ 19 ઓગસ્ટ 1950ના રોજ શિગાંવમાં થયો હતો. તેમના પતિનું નામ નારાયણ મૂર્તિ છે, જેઓ ઈન્ફોસિસના સહ-સ્થાપક છે. બંનેએ 1978માં લગ્ન કર્યા હતા. સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ